Advertisement
Author: નોબત સમાચાર

મારામારીના ગુન્હામાં નાસી ગયેલા આરોપીની કરાઈ અટક

જામજોધપુરમાંથી પકડી લેવાયોઃ

જામનગર તા. ૧૫ઃ જામજોધપુરના મારામારીના એક ગુન્હામાં સંડોવાયેલા ખંભાળિયાના શખ્સને પેરોલ ફર્લો સ્કવોડે પકડી પાડ્યો છે. ગુન્હો નોંધાયા પછી આ શખ્સ પલાયન થયો હતો.

જામજોધપુરના પોલીસ સ્ટેશનમાં ગયા વર્ષે મારા મારીનો એક ગુન્હો નોંધાયો હતો. જેમાં ખંભાળિયાના રાજેશ માયાભાઈ મસુરા નામના શખ્સની સંડોવણી ખૂલી હતી. ગુન્હો નોંધાતા આ આરોપી નાસી ગયો હતો.

ઉપરોક્ત શખ્સ જામજોધપુરમાં આવ્યો હોવાની બાતમી પરથી જામનગરની પેરોલ ફર્લો સ્કવોડ દોડી ગઈ હતી. આ શખ્સને માર્કેટીગ યાર્ડ રોડ પરથી પકડી પાડી તેનો કબજો જામજોધપુર પોલીસને સોંપવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh