Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના પુત્રનું પોલીસે નોંધ્યું નિવેદનઃ
જામનગર તા. ૧૫ઃ જામનગરના ભંગાર બજાર રોડ પર ગાજર ફળીમાં રહેતા એક સોની પ્રૌઢે ગયા સોમવારે બપોરે સુભાષબ્રિજ પરથી મોતની છલાંગ લગાવી હતી. તેઓનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું છે. મૃતકના પુત્રએ છેલ્લા દસેક દિવસથી પોતાના પિતા ચિંતામાં ગરકાવ હોવાનું પોલીસને જણાવ્યું છે. પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૃ કરી છે.
જામનગરના સત્યનારાયણ મંંદિર રોડ પર આવેલી રામ કૂવાવાળી શેરીમાં ગાજર ફળીમા શરણમ્ એપાર્ટમેન્ટમાં બ્લોક નં.૨૧૦માં રહેતા સોની અનિલભાઈ શાંતિલાલ ભૂવા નામના ૫૪ વર્ષના પ્રૌઢે સોમવારે બપોરે સુભાષબ્રિજ પાસે પહોંચ્યા હતા.
આ પ્રૌઢે અચાનક જ પુલ પરથી મોતની છલાંગ લગાવી હતી. નીચે પટકાયેલા અનિલ ભાઈને ગંભીર ઈજા થઈ હતી. ત્યાં હાજર લોકોએ ૧૦૮ને કોલ કરતા આ પ્રૌઢને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
બનાવની જાણ થતાં સિટી-બી ડિવિઝનના જમાદાર વાય.એમ. વાળાએ મૃતદેહનો કબજો સંભાળી મૃતકના પુત્ર ગૌરવ ભૂવાનું નિવેદન નોંધ્યું છે. જેમાં જણાવવામાં આવ્યા મુજબ અનિલભાઈ છેલ્લા દસેક દિવસથી કોઈ કારણથી અત્યંત ચિંતામાં રહેતા હતા. સોમવારે સવારે તેઓ પોતાના ઘરેથી બાલા હનુમાન મંદિરે દર્શન કરવા જવાનું કહીને નીકળ્યા પછી મંદિરે ગયા હતા અને ત્યાંથી વળતી વખતે ઘેર જવાની બદલે તેઓ સુભાષ બ્રિજ પર પહોંચ્યા હતા અને ત્યાંથી કૂદકો મારી આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે નિવેદનની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial