Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના જગતમંદિરમાં ફાગણીયા ફૂલડોલ ઉત્સવ સુધી અબીલ-ગુલાલની છોડો ઉડશેઃ ગઈકાલથી પ્રારંભ

ગર્ભગૃહમાં પૂજારી પરિવારે રોપ્યુ આંબાનું વૃક્ષ

દ્વારકા તા. ૧૫ઃ વસંત પંચમી ઉત્સવ નિમિત્તે દ્વારકાધીશ જગતમંદિરમાં બપોરે બે વાગ્યાથી સાડા ત્રણ સુધી ઉત્સવ આરતી તથા દર્શન માટે ભાવિકો માટે ખૂલ્લું રખાયું હતું. વર્ષમાં માત્ર વસંત પંચમી અને ફૂલડોલ ઉત્સવ નિમિત્તે જ મધ્યાહ્ન સમયે દ્વારકાધીશના દર્શન ભાવિકો માટે એકથી દોઢ કલાક ખૂલ્લાં રખાય છે.

આ સાથે વસંત પંચમીના ઉત્સવના દિવસે ભગવાન દ્વારકાધીશજીને મંદિરના ગર્ભગૃહમાં પૂજારી પરિવાર દ્વારા આંબાનું વૃક્ષ રોપવામાં આવ્યું હતું.

વસંત ઋતુના આગમનને લઈને દ્વારકાધીશજીને શ્રૃંગાર આરતી તેમજ સંધ્યા આરતી સમયે ફૂલડોલ ઉત્સવ સુધી ગાલના ભાગમાં અબીલ ગુલાલથી પૂજારી પરિવાર દ્વારા ખેલાવતા હોય છે.

શ્રીજીને વસંતોત્સવ નિમિત્તે શ્વેતવાઘા-હીરાજડિત ઘરેણાંનો શણગાર

જગવિખ્યાત દ્વારકાધીશ જગતમંદિરમાં મહાસુદ પાંચમના વસંત પંચમી ઉત્સવ પૂજારી પરિવાર અને ભાવિકો દ્વારા ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. વસંત પંચમી ઉત્સવ નિમિત્તે કાળીયા ઠાકોરને વારદાર પૂજારી દ્વારા શ્વેત વાઘા સાથે સોના-ચાંદી-હિરાજડિત વસ્ત્રાલંકારનો અલૌકિક શ્રૃંગાર કરાયો હતો. ભગવાન દ્વારકાધીશને ધાણી-દાળીયા, ખજૂરનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. આ સાથે બપોરે ૨ કલાકે પૂજારી પરિવાર દ્વારા શ્રીજીને વિશેષ શ્રૃંગાર સાથે આરતી કરવામાં આવી હતી. ભાવિકોએ ઉત્સવ દર્શનનો બહોળી સંખ્યામાં લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh