Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુર તાલુકા ભરવાડ સમાજ દ્વારા ચતુર્થ સમૂહ લગ્નોત્સવનું આયોજન

ત્રેવીસ નવયુગલ પ્રભુતામાં પગલા માંડશેઃ

ભાટીયા તા. ૧૫ઃ કલ્યાણપુર તાલુકા ભરવાડ સમાજ દ્વારા તા. ૧૯-ર-ર૪ ના દિને ચતુર્થ સમુહ લગ્નોત્સવનું આયોજન ગોપાલક માલધારી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે ભાટીયામાં કરવામાં આવ્યું છે. જેમાં ભરવાડ સમાજના ર૩ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે.

આ પ્રસંગે સંતો-મહંતો પૂ. ઘનશ્યામપુરી મહારાજ, પૂ. રામબાપુ (બાવળીયાધામ), પૂ. બાલારામ બાપુ (બેટ દ્વારકા), પૂ. મહેશપુરી (દ્વારકા), પૂ. રવિનાથબાપુ (ભાટીયા) પૂ. સુખાબાપુ (રેટા કાલાવડ), તેમજ સમગ્ર ભરવાડ સમાજના ભામાશા વડીલ બેચરભાઈ ગમારા, તેમજ સાંસદ પૂનમબેન માડમ, કેબીનેટ મંત્રી, મૂળુભાઈ બેરા, ધારાસભ્ય પબુભા માણેક, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, નવઘણભાઈ મૂંધવા, પી.એસ.જાડેજા, દ્વારકાદાસભાઈ રાયચુરા, વિઠ્ઠલભાઈ સોનગરા, જયેશભાઈ કોટેચા, સુમાતભાઈ ચાવડા, વેલાભાઈ ચોપડા, અરવિંદભાઈ આંબલીયા, વિક્રમભાઈ બેલા, ભીખુભાઈ વારોતરીયા, મૂળુભાઈ કંડોરીયા, નૂંઘાભાઈ કરંગીયા, કારાભાઈ ધ્રેવાડા, હમીરભાઈ ગોરીયા, રાણાભાઈ જમોડ તેમજ હાલાર પંથકના ભરવાડ સમાજના આગેવાનો નવ દંપતીઓને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh