Advertisement
Author: નોબત સમાચાર

ઝેરી દવાનો છંટકાવ કરતી વખતે અસર થઈ જતાં તરૂણીનું થયું મૃત્યુ

હૃદયરોગનો હુમલો અથવા વીજ આંચકાથી વૃદ્ધનું મૃત્યુઃ

જામનગર તા.૨૪ : ભાણવડના મોટા ગુંદામાં એક વૃદ્ધને હૃદયરોગનો હુમલો અથવા વીજ આંચકો લાગતા મૃત્યુ નિપજ્યું છે. જંતુનાશક દવાનો છંટકાવ કરતી વખતે દવાની અસર થઈ જતાં ખંભાળિયાના બજાણા ગામના તરૂણીનું મૃત્યુ થયું છે. જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ અજાણ્યા વૃદ્ધનું પણ મૃત્યુ થયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોટા ગુંદા ગામમાં રહેતા મગનભાઈ મોહનભાઈ સીહોરા (ઉ.વ.૬૮) નામના ખેડૂત ગઈકાલે સવારે પોતાના ઘરે હતા ત્યારે તેઓને હૃદયરોગનો હુમલો આવી જતા અથવા વીજ આંચકો લાગતા મૃત્યુ નિપજ્યાનું ભાવેશ દામજીભાઈ સીહોરાએ પોલીસમાં જાહેર કર્યું છે.

ખંભાળિયા તાલુકાના બજાણા ગામના રમેશગર ભાવગર અપારનાથી નામના પ્રૌઢની સોળ વર્ષની પુત્રી ભાવિકા ગઈ તા.૧૧ની સાંંજે જંતુનાશક દવાનો છંટકાવ કરતી હતી ત્યારે ઝેરી દવા ભૂલથી ઉડતા અને ભાવિશાના મ્હોંમા જતા આ તરૂણીને ઝેરી અસર થઈ હતી. સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી ભાવિશાનું મૃત્યુ નિપજ્યું છે. પિતાએ પોલીસને જાણ કરી છે.

જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે સાંઈઠેક વર્ષના એક અજાણ્યા વૃદ્ધને ખસેડવામાં આવ્યા હતા. તેઓનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. સમાજ સેવક હિતેશગીરી ગોસાઈએ પોલીસને જાણ કરી છે. પીએસઆઈ જે.પી. સોઢાએ મૃતદેહને પી.એમ. માટે ખસેડી મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh