Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૬ : બરડાઈ બ્રાહ્મણ મોટી જ્ઞાતિ (સમસ્ત) ના આર્થિક રીતે નબળા અને મધ્યમ જીવન જીવન જ્ઞાતિબંધુઓને મકરસંક્રાતિ નિમિતે ખાદ્યવસ્તુઓનું વિતરણ કરવામાં આવશે. જેમાં ગોળનો ડબ્બો (૧૦ કિલો), પાંચ કિલો તેલ, ૧ કિલો ખજુર, ૧-૧ કિલો મમરા અને નિમક આપવામાં આવશે. જેનું વિતરણ તા. ૧૪ ના સાંજે ૪ થી ૬:૩૦ વાગ્યા દરમિયાન નારાણજી હીરજી ભોગાયતા, ઠે. શ્રીહરસિદ્ધિ ભુવન પ્લોટ નં. ૧૧૯, ફેસ-૩, વાલ્કેશ્વરી, જામનગર (મો. ૯૯૦૯૧ ૩૩૩૬૯)માં કરવામાં આવશે. ઉપરોકત વસ્તુ મેળવવા માંગતા જ્ઞાતિબંધુઓએ તેમનું રાશન કાર્ડ તા. ૭-૧ના સાંજે ૪ થી ૬ વાગ્યા સુધીમાં આપી જવાનું રહેશે. દાતા જીતેન્દ્ર કરશનજી પંડયા તથા ઝવેરબેન જે શંકર પંડયા ચેરી. ટ્રસ્ટ- જામનગરના મે. ટ્રસ્ટી નારાણજી હીરજી ભોગાયતા દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial