Advertisement
Author: નોબત સમાચાર

એસએસઆઈ સામેની ફરિયાદને ખોટી ગણાવતા સફાઈ કામદારો

શહેરના વોર્ડ નંબર ૧ માં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: જામનગરના વોર્ડ નંબર ૧ ના એસએસઆઈની નિષ્ક્રિયતા અંગે ગઈકાલે ફરિયાદ કરવામાં આવી હતી. તેની સામે આજે સફાઈ કામદારોએ અધિકારીને રૂબરૂ મળીને ગઈકાલથી ફરિયાદને પાયા વિહોણી ગણાવી હતી.

જામનગરના વોર્ડ નંબર ૧ માં એસએસઆઈ નિષ્ક્રિય હોવા અંગેની ગઈકાલે ફરિયાદ કરવામાં આવી હતી. જેની સામે આજે વોર્ડ નંબર ૧ ના અનેક સફાઈ કામદારો નાયબ મ્યુનિ. કમિશ્નરને રૂબરૂ મળ્યા હતાં અને યુનિયનના બે-ચાર લોકોની આ ફરિયાદ ખોટી હોવાનું જણાવ્યુ હતું.

અહી એસએસઆઈની રાહબરી હેઠળ નિયમિત સફાઈ થતી રહી છે. તેમ જણાવી ગઈકાલે વિરોધ કરનારા બે-ચાર લોકોની ઝાટકણી કાઢી હતી અને તેમની ફરિયાદને ખોટી ઠેરવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh