Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિક સંરક્ષણ તાલીમ

કાલાવડ તાલુકામાં જિલ્લા કલેકટર કેતન ઠકકરની ઉપસ્થિતિમાં

                                                                                                                                                                                                      

જામનગર જિલ્લો સરહદી જિલ્લો હોવાથી આપતકાલીન પરિસ્થિતિમાં નાગરિકોએ સ્વ બચાવ માટે શું કરવું જોઈએ તથા તંત્ર નાગરિકોને આવી પરિસ્થિતિમાં કઈ રીતે મદદરૂપ થઈ શકે તે માટે જામનગર જિલ્લા વહીવટી તંત્ર અને નાગરિક સુરક્ષા કચેરી દ્વારા નાગરિક સંરક્ષણ તાલીમનું વિવિધ જગ્યાઓ પર આયોજન કરવામાં આવી રહૃાું છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આવેલ ટાઉનહોલમાં જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની ઉપથિતિમાં સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ યોજવામાં આવી હતી. જેમાં મધ્યાહન ભોજનના સંચાલકો, દુકાનદારો, આશાવર્કરો, આંગણવાડી કાર્યકરોને યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તે સમયે કયા પ્રકારના પગલાં લેવા જોઈએ તે અંગે સમજૂતી આપવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા આગ લાગે તેવા સંજોગોમાં શું કરવું જોઈએ, ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા બચાવકાર્ય અંગે તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નાયબ નિયંત્રક વી.કે.ઉપાધ્યાય, કાલાવડ મામલતદાર તન્વીબેન ત્રિવેદી, પીઆઈ એમ.વી.ખિલેરી, અધિકારીઓ, નાગરિકો વગેરે ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh