Advertisement
Author: નોબત સમાચાર

સાસુ-સસરા, નણંદને પક્ષકાર તરીકે ડિલિટ કરવાનો આદેશ

પરિણીતાએ અદાલતમાં કરી હતી રાવઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામનગરના એક મહિલાએ અદાલતમાં પતિ, સાસુ, સસરા, જેઠ, નણંદ સામે ઘરેલુ હિંસાના કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાંથી ડિલીટ કરવા સાસુ, સસરા, નણંદે કરેલી અરજી ગ્રાહ્ય રાખવામાં આવી છે.

જામનગરના નાઝમીનબેન અનવર સંઘારના નિકાહ ચારેક વર્ષ પહેલા અલીભાઈ લોરૂ સાથે થયા પછી થોડા સમય સુધી સારી રીતે રાખ્યા પછી તેઓને પતિ, જેઠ, નણંદ તથા સાસુ-સસરા દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો.

આ બાબતે નાઝમીનબેને અદાલતમાં ગયા વર્ષે ડોમેસ્ટિક વાયોલેન્સ એક્ટ હેઠળ અરજી કરી હતી. તે અન્વયે ઓસમાણ લોરૂ, રોશન બેન, ઝરીનાબેન સંઘારને નોટીસ મળી હતી. આ વ્યક્તિઓએ તે કેસમાંથી ડિલીટ થવા અરજી કરી હતી. અદાલતે તે અરજી ગ્રાહ્ય રાખી સાસુ-સસરા તથા નણંદને કેસમાંથી ડિલીટ કરવાનો આદેશ કર્યાે છે. અરજદારો તરફથી વકીલ શ્યામ રાજદેવ, જીતેન્દ્ર ચેતરીયા રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh