Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના વામ્બે આવાસ નજીક ત્રણ માળીયા બ્લોકમાં રોકડ-દાગીનાની ચોરી

પરિવાર બહારગામ ગયો'ને લાખની મત્તા ઉસેડાઈ ગઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૩: જામનગરના વામ્બે આવાસ નજીક જુના ત્રણ માળીયાના એક બ્લોકમાં ગઈ તા.૧૩ની બપોરથી તા.૧૪ની રાત્રિ સુધીમાં કોઈ તસ્કરે રસોડાનો દરવાજો તોડી ચોરી કરી છે. તે બ્લોકમાંથી રૂ.૨૦ હજાર રોકડા અને રૂ.૮૨૬૦૦ના સોના-ચાંદીના દાગીના ચોરાઈ ગયા છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ આદરી છે.

જામનગરના વામ્બે આવાસ નજીક જૂના ત્રણ માળીયામાં બ્લોક નં.૧૯ અને રૂમ નં.ર૪માં રહેતા સુરેશ ભાઈ જીવરાજભાઈ મકવાણા નામના આસામી પોતાના પરિવાર સાથે ગઈ તા.૧૩ની બપોરે બહારગામ ગયા હતા.

જ્યાંથી તેઓ બીજા દિવસે રાત્રે પરત આવ્યા તે દરમિયાન તેમના ઘરમાં રસોડાનો દરવાજો તોડી ઘૂસી ગયેલા કોઈ તસ્કરોએ અંદર ખાંખાખોળા કરી પતરાના કબાટમાં આવેલી તિજોરી તોડી નાખી હતી.

તેમાંથી તસ્કરોએ સોનાની એક જોડી બુટી, કાનની સર, સોનાની ત્રણ વીટી, ચાંદીનો હાથમાં પહેરવાનો પટો, સોનાનું એક બુટીયુ તથા રૂ.૨૦ હજાર રોકડા મળી કુલ રૂ. ૧૦૨૬૦૦ની મત્તાની ચોરી કરી લીધી હતી. ચોરીની આ ફરિયાદ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે નોંધાવવામાં આવી છે. પીએસઆઈ વી.કે. ગોહિલે ગુન્હો નોધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh