Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના ભાઈએ પોલીસને જાણ કરીઃ
જામનગર તા. ર૩: જામનગર-ખંભાળિયા રોડ પર જોગવડ ગામમાં એક ટ્રસ્ટની પડતર જમીનના શેઢે એક ઝાડમાં યુવાને અગમ્ય કારણે ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવી લીધુ છે. પોલીસે મૃતકના ભાઈનું નિવેદન નોંધી તપાસ શરૂ કરી છે.
જામનગર-ખંભાળિયા રોડ પર આવેલા લાલપુર તાલુકાના જોગવડ ગામમાં મંદિર પાસે રહેતા ધીરૂભાઈ જેસાભાઈ મોરી નામના ત્રીસ વર્ષના રબારી યુવાને બુધવારે સાંજે જોગવડની સીમમાં આવેલી જામ ધર્માદા ટ્રસ્ટની પડતર જમીનના શેઢા પાસે જઈ કોઈ અકળ કારણથી ત્યાં આવેલા લીમડાના ઝાડમાં ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ યુવાને એક ડાળીમાં દોરી વડે ગાળીયો બનાવી ગળાટૂંપો ખાતા તેની જાણ થયા પછી નીચે ઉતારી ચકાસવામાં આવ્યા હતા. જેમાં ધીરૂભાઈ મૃત્યુ પામેલા જણાઈ આવતા પોલીસને જાણ કરાઈ હતી. દોડી આવેલી મેઘપર પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી મૃતકના નાનાભાઈ કરમશી જેસાભાઈનું નિવેદન નોંધ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial