Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોન્ટ્રાક્ટરે એક વર્ષથી પથ્થરો મૂકીને અધુરૂ છોડી દીધું છે આ કામઃ
ખંભાળિયા તા. ર૩: ખંભાળિયામાં રામનગર વિસ્તારમાં રામમંદિરથી સેન્ટઝેવિયર્સ શાળા તરફ જતા બે કિલોમીટરનો રસ્તો ૧.૯૦ કરોડના ખર્ચે મંજુર થયેલો હતો જે કામ એક વર્ષથી કોન્ટ્રાક્ટર દ્વારા પથ્થરો મૂકીને અધુરૂ મૂકી દેતા અને ચોમાસુ નજીક આવે છે ત્યારે અહીંથી નીકળી ન શકાય તેવી સ્થિતિ થઈ છે. ગ્રામજનો તથા આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને જો તાકીદે યોગ્ય નહીં થાય તો આંદોલનની ચેતવણી આપવામાં આવી છે. આ આવેદનપત્રમાં જણાવેલ કે ગત્ જૂન ર૪ થી રોડનું કામ મેટલ નાખીને બંધ કરી દેવાયું છે જેની માલસામાન, શાકભાજી કે વાહનો લઈને જતા લોકો રોજ પડે છે. મુશ્કેલી થાય છે. ખેડૂતોના બળદો તથા ગાયોને પણ આ પથ્થરાળ રસ્તે એક વર્ષથી ચાલતા પગના રોગ થયા છે. આ રસ્તા પર અમુક જગ્યાએ બે આસામીઓ દ્વારા દબાણ થયું હોય, કામ થતું નથી. અગાઉ જ્યારે ધરમપુરમાં દબાણ રસ્તા પર હતું ત્યારે ઢગલાબંધ આસામીઓના મકાનો-દુકાનો-વંડા તોડી પાડવામાં આવેલા, ત્યારે અહીં પાણીના નિકાલ માટે બે-ચાર ફૂટ દબાણ હટાવવામાં સરકારી તંત્રને શું 'શરમ' આવે છે તે પણ પ્રશ્ન છે. જો ચાર દિવસમાં કામ ચાલુ નહીં થાય તો ખેડૂતો જાતે મેટલ કાંકરી રસ્તા પરથી દૂર કરશે અને આંદોલન કરશે.
આવેદનપત્ર કિશાન સંઘના એમ.ડી. ચોપડા તથા કાર્યકરો દ્વારા અપાયું હતું. જેમાં અગ્રણીઓ, જિ.પં. કારો. ચેરમેન જીતેન કણઝારિયા, સંજયભાઈ નકુમ, જેન્તિભાઈ નકુમ, પૂર્વ સરપંચ વી. પરમાર વિગેરે પણ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial