Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સૌરાષ્ટ્ર નાયી બ્રાહ્મણ મંડળ (વાણંદ જ્ઞાતિ) દ્વારા
જામનગર તા. ૨૩: શ્રી સૌરાષ્ટ્ર નાયી બ્રાહ્મણ મંડળ (વાણંદ જ્ઞાતિ)-જામનગર દ્વારા શ્રી સેનજી મહારાજની ૭૨૫મી જન્મજયંતી નિમિત્તે તા. ૨૪-૫-૨૫ ને શનિવારે ભવ્ય શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં સાંજે ૪ વાગ્યે દિગ્જામ સર્કલથી શોભાયાત્રા પ્રસ્થાન થશે જે સમાજની વાડી શ્રી સૌરાષ્ટ્ર નાયી બ્રાહ્મણ મંડળ (વાણંદ જ્ઞાતિ) ખોડીયાર કોલોનીએ પૂર્ણ થશે. સાંજે ૫ વાગે દિગ્જામ સર્કલથી જ્ઞાતિની વાડી તરફ જતા રોડને શ્રી સેન માર્ગ નામ આપવાની વિધિ સાંજે ૭ વાગ્યે શ્રી સેનજી મહારાજની મહાઆરતી અને રાત્રે ૮થી ૯:૩૦ વાગ્યા દરમ્યાન પ્રસાદ રાખવામાં આવ્યો છે. આ શોભાયાત્રામાં સૌરાષ્ટ્ર નાયી બ્રાહ્મણ મંડળના સભાસદોએ વાહન સાથે ઉપસ્થિત રહેવા પ્રમુખ મુકેશભાઈ ગાલોરીયા (મો. ૮૧૪૦૭ ૧૧૧૧૦) અને કારોબારી તથા મહિલામંડળ દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial