Advertisement
Author: નોબત સમાચાર

રૂ.૩ લાખના ચેક પરતના કેસમાં ખંભાળિયાના આસામીને કેદ-દંડ

નગરના આસામીને એક વર્ષની કેદની સજાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૩: ખંભાળિયાના એક આસામીને રૂ.૩ લાખના ચેક પરતના કેસમાં અને નગરના આસામી ને રૂ.૧ લાખના ચેક પરતના કેસમાં અદાલતે એક-એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ભરવા હુકમ કર્યાે છે.

જામનગરમાં વસવાટ કરતા ધર્મેન્દ્રસિંહ રઘુભા વાળા પાસેથી સંજય રાજુભાઈ મેરે રૂ.૧ લાખ હાથ ઉછીના મેળવ્યા હતા. તે રકમની પરત ચૂકવણી માટે ચેક અપાયો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા કોર્ટમાં ધર્મેન્દ્રસિંહે ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી સંજય રાજુભાઈ મેરને એક વર્ષની કેદ રૂ.૧ લાખનો દંડ ફટકાર્યાે છે.

જામનગરના કિરીટસિંહ ભીખુભા જાડેજા પાસેથી રૂ.૩ લાખ ખંભાળિયાના ભાવેશગર અરવિંદગર ગોસ્વામીએ હાથઉછીના લઈ પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક પરત ફરતા અદાલતમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે ભાવેશગરને એક વર્ષની કેદની સજા અને રૂ.૩ લાખનો દંડ ફટકાર્યાે છે. બંને કેસમાં ફરિયાદી તરફથી વકીલ નિર્મળસિંહ એન. જાડેજા, લખધીરસિંહ વી. ગોહિલ, ઓમદેવસિંહ જાડેજા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh