Advertisement
Author: નોબત સમાચાર

બચુનગરના બાંધકામ રેગ્યુલાઈઝડ કરવાની અરજી ના મંજૂર કરાઈ

જામનગર મહાનગરપાલિકાએ રૂબરૂ સાંભળ્યા પછી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામનગરના બચુનગરનાં ૧૯૦ બાંધકામ ધારકોને મહાનગરપાલિકાએ રૂબરૂ સાંભળવા માટે બોલાલ્યા પછી તેમાંથી મળેલી બાંધકામ રેગ્યુલાઈઝડ કરવાની અરજીઓ મહાનગરપાલિકા દ્વારા ના મંજુર કરવામાં આવી છે. જામનગરના બચુનગર વિસ્તારના ૧૯૦ જેટલા અનઅધિકૃત બાંધકામ ધારકોને મહાનગર પાલિકા દ્વારા રૂબરૂ સાંભળવામાં આવ્યા હતાં આ બાંધકામ ધારકોએ મહાનગરપાલિકા સમક્ષ અરજી કરી પોતાના બાંધકામને પાડતોડ નહી કરવા અને રેગ્યુલાઈઝ કરી આપવા માંગણી કરી હતી. આ તમામ અરજીઓ તંત્ર દ્વારા ના મંજૂર કરવામાં આવી છે.

આવા બાંધકામ ધારકોમાંથી અમુક દ્વારા કોર્ટમાં દાદ માંગવામાં આવી હતી. જેના અનુસંધાને આવા બાંધકામ ધારકોને રૂબરૂ હીયરીંગ માટે બોલાવાયા હતાં. ત્યારે અમુક અરજદારોએ લેખીત અરજી કરી હતી. જે નામંજુર કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh