Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહત્તમ તાપમાન ૩૬.૬ ડીગ્રી નોંધાયું
જામનગર તા. ર૩: જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૦ ટકા રહેતા પ્રજાજનો અસહ્ય ઉકળાટથી આકૂળ-વ્યાકૂળ થઈ ગયા હતાં. છેલ્લા ચોવીસ કલાકમાં આંશિક ઘટીને મહત્તમ તાપમાન ૩૬.૬ ડીગ્રી નોંધાયું હતું.
જામનગરમાં વાદળોના આટાફેરા અને તેજીલા વાયરાઓના પગલે છેલ્લા ચોવીસ કલાકમાં આંશિક ઘટાડા સો મહત્તમ તાપમાન ૩૬.૬ ડીગ્રી અને લઘુતમ તાપમાન ર૮.૪ ડીગ્રી નોંધાયું હતું.
નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૭ ટકા રહ્યું હતું. ભેજના આટલા વધુ પ્રમાણના પગલે અસહ્ય ઉકળાટની અનુભૂતિ લોકો કરી રહ્યા છે. ગઈકાલે પણ લોકો બફારાથી પરસેવે રેબઝેબ થઈ ગયા હતાં. ગરમી અને બફારાના બેવડા મારથી જનતા આકૂળ-વ્યાકૂળ થઈ ત્રાહિમામ્ પોકારી ઊઠી હતી. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૩પ થી ૪૦ કિ.મી.ની રહેવા પામી હતી. વેગીલા વાયરાઓના પગલે સાંજથી વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરતા પ્રજાજનોએ રાહત અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial