Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાવાઝોડાની અસરનો પ્રારંભ
જામનગર તા. ર૩: અરબી સમુદ્રમાં સર્જાયેલ સાયક્લોન સિસ્ટમના કારણે વાતાવરણ પલટાયું છે, અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે. ગઈકાલે જામજોધપુર પંથકમાં ભારે પવન સાથે એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.
સમુદ્રમાં સક્રિય થયેલ સિસ્ટમના કારણે પ્રેસર સર્જાતા વરસાદ થઈ રહ્યો છે, જો કે આ કમોસમી વરસાદથી નુક્સાન થયું છે.
ગઈકાલે બપોર પછી જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં વાતાવરણ પલટાયું હતું. જોરદાર પવન શરૂ થયો હતો અને ત્યારપછી ધોધમાર વરસાદ વરસ્યો હતો. લગભગ અડધોથી પોણો કલાક સુધી સતત વરસાદ વરસ્યો હોવાથી સમગ્ર વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતાં.
જામજોધપુરમાં રપ મી.મી. એટલે કે એક ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે જામજોધપુર તાલુકાના માંડાસણ, વલાસણ, બુટાવદર, ધ્રાફા પંથકમાં પણ એકાદ ઈંચથી વધુ વરસાદના વાવડ છે. હજુ તો હવામાન વિભાગે આગામી દિવસોમાં ઓરેન્જ અને યલો એલર્ટ પણ આપ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial