Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધો. ૧૦-૧૨ના વિદ્યાર્થીઓને કરાયા સન્માનીત
જામનગર તા. ૨૩: સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ યુવક મંડળ-જામનગર સંચાલિત સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. જેમાં રેખાબેન પાણખાણીયા (આચાર્યા, જી.આર. માલદે સરકારી હાઈસ્કૂલ-મોરકંડા), રાજેશભાઈ ગોહેલ (આચાર્ય, આદર્શ નિવાસી શાળા વિ.જા. જામનગર) સાગરભાઈ વેગડ (લેકચરર, ગવર્મેન્ટ પોલીટેકનિક-જામનગર) સંજીવભાઈ ધોકીયા (શિક્ષક, ઓનેસ્ટ કલાસીસ), અને પ્રશાંતભાઈ(અચીવર ઈન્સ્ટિટ્યુટ) દ્વારા વિવિધ સ્કોલરશીપ, સાયન્સ ડિપાર્ટમેન્ટમાં કઈ રીતે આગળ વધવું જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષા વિગેરે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
ધો. ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષામાં ૯૦% કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ સમાજ નવાગામ ઘેડના પ્રમુખ અને સોરઠીયા પ્રજાપતિ એજ્યુકેશન ફાઉન્ડેશનના સભ્ય લલિતભાઈ ફટાણીયાએ આ કાર્યક્રમમાં હાજરી આપીને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. સોરઠીયા પ્રજાપતિ યુવક મંડળ-જામનગરના પ્રમુખ અતુલભાઈ શિંગડિયા, મંત્રી વિપુલભાઈ ઘેડીયા ખજાનચી અલ્પેશભાઈ ગોહેલ અને તેમની સમગ્ર ટીમે આ કાર્યક્રમનું આયોજન અને સંચાલન કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial