Advertisement
Author: નોબત સમાચાર

નવા નાગના આયુષ્માન મંદિરે કિશોરીઓ માટે સર્વાઈકલ કેન્સર અંગે જાગૃતિ શિબિર યોજાઈ

૨૬ કિશોરીઓને એચપીવી રસી વિનામૂલ્યે અપાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામનગર તાલુકાના આયુષ્માન આરોગ્ય મંદિર નવા નાગનામાં આરોગ્ય વિભાગ અને જામનગર કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયુટ દ્વારા કિશોરીઓ માટે સર્વાઇકલ (ગર્ભાશયના મુખ) કેન્સર જાગૃતિ અંગે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુના નાગના અને નવા નાગના ગામની કિશોરીઓ અને તેમના માતા-પિતાને બોલાવવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા જેસીઆઈઆરના સહયોગથી ૨૬ કિશોરીઓને ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ આપતી એચ.પી.વી. રસી આપવામાં આવી હતી.

આ શિબિરમાં શાળાએ ન જતી અને કોઈ કારણોસર અભ્યાસ છોડી દીધો હોય તેવી કિશોરીઓને સર્વાઇકલ (ગર્ભાશયના મુખ) કેન્સર જાગૃતિ વિષે વિગતવાર પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગર્ભાશયના મુખનું કેન્સર અને સ્તન કેન્સર એ સ્ત્રીઓમાં થતા સૌથી સામાન્ય કેન્સર છે. સર્વાઇકલ કેન્સરનું સૌથી સામાન્ય કારણ હૃાુમન પેપીલોમાં વાઇરસ (એચપીવી) છે. ૧૦ થી ૨૦ વર્ષની કિશોરીઓને રસી આપ્યા બાદ ગર્ભાશયના મુખનું કેન્સર થવાની શક્યતા ૯૮% ઘટી જાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh