Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક મહિલા આરોપીને જેલહવાલે કરાયાઃ
જામનગર તા. ર૩: જામનગરના નાઘેડીમાં રહેતા એક યુવાનના બીજી જ્ઞાતિની યુવતી સાથેના મૈત્રીકરારથી ઉશ્કેરાયેલા યુવતીના પિતા સહિતના પરિવારજનોએ આ યુવાનનું અપહરણ કરી ઢોરમાર માર્યાે હતો. આ યુવાન મોતને શરણ થયા હતા. પોલીસે ત્રણ આરોપીને ચાર દિવસના રિમાન્ડ પર લીધા છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા નાઘેડી ગામ નજીક અવધનગરી પાસે રહેતા આશિષ રાણાભાઈ અસ્વાર નામના યુવાનનું ગઈ તા.૬ના દિને વિક્રમ કેશુભાઈ ઓડેદરા, તેના સાળા રામદે લાખાભાઈ બોખીરીયા અને વિવેક કારાભાઈ બોખીરીયા એ અપહરણ કર્યું હતું.
એકાદ વર્ષ પહેલાં આશિષે ક્રિષ્ના વિક્રમ ઓડેદરા નામની યુવતી સાથે મૈત્રીકરાર કર્યા પછી આ યુગલ નાઘેડીમાં વસવાટ કરતંુ હતું. તે સંબંધ ન ગમવાથી યુવતીના પિતા, ફુવા અને પિતરાઈ ભાઈએ આશિષનું અપહરણ કરી ઢોર માર માર્યાે હતો અને બીજા દિવસે તેને ફેંકી દીધો હતો.
આ યુવાન ગુમ થતાં ક્રિષ્નાએ પોતાના ફઈ નીરૂબેન કારાભાઈને ફોન કરીને પૂછ્યું હતું. જેમાં નીરૂબેને તારા પિતા સહિતના વ્યક્તિઓએ આશિષને ઉપાડી લીધો છે તેમ જણાવ્યું હતું. ગંભીર ઈજા પામેલી હાલતમાં મળી આવેલા આશિષને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં તેનું મૃત્યુ નિપજતા પોલીસે ક્રિષ્નાની ફરિયાદ પરથી હત્યા સહિત કલમો હેઠળ ગુન્હો નોંધી ગઈ કાલે વિક્રમ ઓડેદરા, રામદે બોખીરીયા, વિવેક કારાભાઈ અને નીરૂબેન કારાભાઈની ધરપકડ કરી બે પાઈપ તથા બે બાઈક કબજે લીધા હતા. આ આરોપીઓને રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કરાતા ત્રણ આરોપીને ચાર દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યા છે અને નીરૂબેનને જેલહવાલે કરવા હુકમ થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial