Advertisement
Author: નોબત સમાચાર

હાલારના રેલવે સ્ટેશનોમાં મુસાફરોને વધુ સુવિધા મળશે:

હાલારના આઠ રેલવે સ્ટેશનોનો અમૃત વિકાસ યોજનામાં સમાવેશ

જામનગર તા. ૭: ભારત સરકારના આર્થિક બજેટમાં અમૃત સ્ટેશન યોજના અન્વયે હાલારના આઠ રેલવે સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રેલવે સ્ટેશનમાં મુસાફરોને વધુ સુવિધા મળશે.

કેન્દ્રિય નાણામ બજેટમાં દેશના ૮૭ રેલવે સ્ટેશનને અમૃત ભારત સ્ટેશન તરીકે વિક્સાવવા આયોજન દર્શાવાયું છે. હાલારના આઠ રેલવે સ્ટેશનોનો સમાવેશ કરાયો છે.

જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા, ભાટિયા, દ્વારકા અને મીઠાપુરનો અને જામનગર જિલ્લાના જામજોધપુર, હાપા, કાનાલૂસ અને જામવંથલીનો સમાવેશ થાય છે.

આ તમામ સ્ટેશનોનો વિકાસ કરવામાં આવશે જેથી મુસાફરોને વધુ સુવિધા મળશે. જેમ કે પ્રતિક્ષા વિસ્તાર, મફત વાઈફાઈ, લીફ્ટ, એસ્કેવેટર, સ્વચ્છતા, સ્થાનિક ઉત્પાદનો માટે કિયોસ્કની સુવિધા, પેસેન્જર, માહિતી પ્રણાલી, બિઝનેસ મિટિંગ સુવિધા, એક્ઝિક્યુટીવ લોન્જ, વગેરેનો સમાવેશ થાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh