Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલ્યાણપુરના આસામીએ નોંધાવી ફરિયાદઃ
જામનગર તા. ૧૩: કલ્યાણપુરાના માડી ગામના એક આસામીએ વર્ષાે પહેલાં સલાયાના એક આસામી પાસેથી બે પ્લોટ જંત્રીના ભાવ મુજબ રૂ.૧ લાખમાં વેચાણથી લીધા પછી તેનો દસ્તાવેજ બનાવ્યો હતો. ઉપરોક્ત બંને પ્લોટ છ વર્ષ પહેલાં પ્લોટના મૂળ માલિકે અન્ય આસામીઓને વેચી નાખી ફરીથી દસ્તાવેજ બનાવી આપતા છેતરાઈ ગયેલા માડી ગામના આસામીએ પોલીસમાં ફરિયાદ કરી છે.
કલ્યાણપુર તાલુકાના માડી વાડી વિસ્તારમાં વસવાટ કરતા આસપારભાઈ પુનાભાઈ જામ નામના આસામીએ ખંભાળિયા તાલુકાના સલાયા ગામના અનિલભાઈ ભીમજીભાઈ અસ્વાર નામના આસામીએ સલાયામાં આવેલા પ્લોટ નં.૪૪ તથા ૪૫ના વેચાણ માટે વાત કર્યા પછી બંને વ્યક્તિ વચ્ચે આ પ્લોટનો રૂ.૧ લાખમાં સોદો થયો હતો.
જે તે વખતે જંત્રીના ભાવ મુજબ અનુક્રમે ૨૩૯૯ અને ૨૩૨૦ ફૂટના આ બંને પ્લોટનો સોદો થયા પછી ગઈ તા.૧૪-૭-૨૦૧૫ના દિને દસ્તાવેજ બનાવવામાં આવ્યો હતો. ત્યારપછી આસપારભાઈને જાણ થઈ હતી કે આ બંને પ્લોટ અનિલભાઈએ અન્ય આસામીને વેચી નાખ્યા છે અને તેના ગઈ તા.૧૮-૯-૧૯ અને તા.૬-૧૧-૨૦ના દિવસે બે જુદા જુદા દસ્તાવેજ બનાવી આપવામાં આવ્યા છે. તેથી પોતાની સાથે છેતરપિંડી-વિશ્વાસઘાત આચરનાર અનિલભાઈ સામે સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં આસપારભાઈએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial