Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેડી મરીન પોલીસે કાર્યવાહી હાથ ધરીઃ
જામનગર તા. ૧૩: જામનગર નજીક સિક્કાના દરિયામાં માલસામાન ભરીને આવેલુ રશિયાનું એક જહાજ લાંગરવામાં આવ્યું હતું. તે જહાજના એક સદસ્યએ બુધવારે બપોરે કોઈ અકળ કારણથી જહાજમાં જ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. બેડી મરીન પોલીસે મૃતદેહનું પીએમ કરાવી આગળની કાર્યવાહી કરી છે.
જામનગર નજીકના સિક્કાના દરિયાકાંઠે એકરેજ પોઈન્ટથી દરિયાના ભાગમાં એમટી એનર્જી જેન્ટેવર નામની રશિયન શીપ માલસામાન ભરીને આવી હતી અને ત્યાં લાંગરવામાં આવી હતી. આ શીપના ક્રુ મેમ્બર પીવનેન્કો દેમીત્રી નામના સડતાલીસ વર્ષના રશિયન નાગરિકે બુધવારે બપોરે બાર વાગ્યા પછીના સમયમાં આ શીપમાં જ ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ બાબતની સાંજે અન્ય ક્રુમેમ્બરને જાણ થતાં પોલીસને વાકેફ કરવામાં આવી હતી. બેડી મરીન પોલીસ સ્ટેશનનો સ્ટાફ સિક્કા ધસી ગયો હતો. આ યુવાનના મૃતદેહને દોરીમાંથી છોડાવી પોસ્ટમોર્ટમ માટે જામનગરની મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા પછી તેનું પીએમ કરવામાં આવ્યું હતું અને પોલીસે નવાગામ ઘેડમાં રહેતા અને એટલાન્ટિક શીપીંગ નામની કંપનીમાં નોકરી કરતા યુવરાજસિંહ એચ. જાડેજાનું નિવેદન નોંધ્યું છે. મૃતકના પરિવારને અન્ય ક્રુમેમ્બર દ્વારા જાણ કરવામાં આવી છે અને મૃતદેહને રશિયન લઈ જવાની તજવીજ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial