Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાહન વ્યવહાર મંત્રી સહિતના પદાધિકારીઓને રજૂઆતઃ
જામનગર તા. ૧૩: જામજોધપુર એસ.ટી. વિભાગ દ્વારા વર્ષોથી ચલાવવામાં આવતી જામજોધપુર, ઉપલેટા, ગોંડલ, સાળંગપુર, ધંધુકા રૂટની બસને છેલ્લા કેટલાક સમયથી જામજોધપુર, ભાયાવદર, ઉપલેટા, ધોરાજી, સાળંગપુર ચલાવવામાં આવે છે. પરિણામે મુસાફરોની સુવિધા ખુંચવાઈ છે.
એસ.ટી. વિભાગ એમ કહે છે કે, જુના રૂટમાં આવક પૂરતી નથી, પરંતુ અગાઉ ફિક્સ રૂટવાળા સારા ડ્રાઈવરો હતાં અને આવક પણ સારી થતી હતી, પરંતુ અમુક લેઈટ લતીફ ડ્રાઈવરોના કારણે આ સ્થિતિ ઊભી થવા પામી છે.
આ બસ કાયમીધોરણે દોઢેક કલાક મોડી આવે છે. આથી મુસાફરોએ ફરજિયાત વૈકલ્પિક મુસાફરી વ્યવસ્થા કરવી પડે છે. આથી જ એસ.ટી.ની આવકમાં ઘટાડો થયો છે.
આ અંગે રાષ્ટ્રીય માનવાધિકાર સુરક્ષા સમિતિના જિલ્લા સચિવ કલ્પેન્દ્રસિંહ ચુડાસમાએ આધાર-પુરાવા સાથે વાહન વ્યવહાર મંત્રી સહિતના ઉચ્ચ પદાધિકારી, અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી છે. જુના રૂટ ઉપર કાયમી ધોરણે બસ ચલાવવા માગ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial