Advertisement
Author: નોબત સમાચાર

ચૂલાની ઝાળ અડકી જતાં ગંભીર રીતે દાઝી ગયેલી સિક્કાની તરૂણીનું મૃત્યુ

વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાઈ હતીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના સિક્કા ગામમાં ગઈકાલે સવારે રસોઈ બનાવી રહેલી એક વાઘેર તરૂણીને ચૂલામાંથી બહાર નીકળેલી અગનજ્વાળા અડકી ગઈ હતી. ગળાથી માંડી ઘૂંટણ સુધી સખત રીતે દાઝી ગયેલી આ તરૂણીનું રાજકોટ દવાખાને સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. પિતાએ પોલીસને જાણ કરી છે.

જામનગર તાલુકાના સિક્કા ગામમાં આવેલા નાઝ સિનેમા પાછળ વસવાટ કરતા દાઉદભાઈ ઉમરભાઈ ભાયા નામના વાઘેર પ્રૌઢની ૧૬ વર્ષની પુત્રી આયેશા ગઈકાલે સવારે પોતાના ઘરે રસોઈ બનાવતી હતી.

આ વેળાએ ચૂલો પેટાવતી વખતે તેમાંથી નીકળેલી અગનજ્વાળા આ તરૂણીના પહેરેલા કપડાને અડકી જતાં ગળાથી ઘુંટણ સુધી આ તરૂણી ગંભીર રીતે દાઝી ગઈ હતી. સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલી આયેશાનું ગઈકાલે સાંજે મૃત્યુ નિપજ્યું છે. પિતા દાઉદભાઈએ પોલીસને જાણ કરી છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh