Advertisement
Author: નોબત સમાચાર

નોંધણી થતા દસ્તાવેજ મિલકતમાં અક્ષાંશ-રેખાંશ દર્શાવવા ફરજિયાત

નેટવર્કના અભાવ વચ્ચે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: રાજ્યના નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિ.ઓફ સ્ટેમ્પ અધિકારીની કચેરીના પરિપત્ર મુજબ રાજ્યના તમામ જિલ્લામાં તા. ૧-૬-૨૫ થી નોંધણીમાં આપની તમામ સ્થાવર મિલકતો, દસ્તાવેજોના ફોટામાં અને મિલકતોના ફોટાવાળા પાના ઉપર મિલકતના અક્ષાંશ અને રેખાંશ ફરજિયાત દર્શાવવાની પદ્ધતિ લાગુ કરતો પરિપત્ર કરવામાં આવ્યો છે.

પરંતુ જિલ્લાના અંતરયાળ ગામમાં નેટવર્કના અભાવે આ કામગીરી માટે ખેડૂતોને પડનારી મુશ્કેલીને ધ્યાને લઈ આ ફરજિયાત જોગવાઈમાંથી મુક્તિ આપવી જોઈએ, તેવી રજુઆત મુખ્યમંત્રી, અધિક મુખ્ય સચિવ, જિલ્લા કલેક્ટર અને નોંધણી નિરીક્ષક સમક્ષ કરવામાં આવી છે. ગુજ. સ્ટેમ્પ અધિનિયમનની કલમ મુજબ ૩૨-ક ની જોગવાઈ મુજબ ખેતી સહિતના તમામ સ્થાવર સહિતની મિલકતના દસ્તાવેજો નોંધણી માટે રજુ થાય ત્યારે દસ્તાવેજના ફોટામાં અક્ષાંશ-રેખાંશ દર્શાવવામાં નહીં આવે તો દસ્તાવેજ નોંધણી માટે નહીં સ્વીકારાય. પરંતુ ખેડૂતોને આ નિયમથી મુશ્કેલી નડે, તેમજ અંતરીયાળ જગ્યામાં નેટવર્ક પણ ઉપલબ્ધ ન હોય ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થશે.

એ ઉપરાંત તેમાં ક્રોસ ચેક માટે કોઈ સિસ્ટમ નથી, દસ્તાવેજ નોંધણી થાય અને પક્ષકારો વચ્ચે વિવાદ થાય ત્યારે કોઈ પણ કારણોસર ખોટા લખાવેલ અક્ષાંશ-રેખાંશના કારણે પણ પ્રશ્ન ઉદ્ભવી શકે.

આ અંગે જામનગરના અજય જી. દોઢિયાએ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ પ્રશ્નના ઉકેલ માટે રજૂઆત કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh