Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતક મુસાફરોના પરિવારો લાંબા સમય સુધી ઉચાટમાં રહ્યા
અમદાવાદ તા. ૧૩: ગઈકાલે અમદાવાદની વિમાન દુર્ઘટનામાં મૃતદેહો ભડથું થઈ જતા પ્રવાસીની ડીએનએ ટેસ્ટથી ઓળખ કરાશે. સિવિલ હોસ્પિટલમાં ડીએનએ ટેસ્ટ માટે ૧૦૦૨ લોહીના સેમ્પલ લેવાયા હતા. ત્રણ દિવસ પછી રિપોર્ટ આવશે. પ્રવાસી અને પરિવારના ડીએનએ મેચ બાદ દર્દીની ઓળખ કરી મૃતદેહ પરિવારજનોને સોંપાશે, તેમ જાણવા મળે છે.
વિમાન દુર્ઘટનામાં ઈંધણના પ્રચંડ જથ્થાના કારણે પ્લેન ભરસ્મીભૂત થઈ જતા પ્રવાસીઓના પાર્થિવદેહ ભડથું થઈ ગયા હતા. તેથી પ્રવાસીઓના મૃતદેહોની ઓળખ થઈ શકે તે માટે તેમના પરિવારના સભ્યો સાથે ડિએનએ સેમ્પલ મેચ કરવાનો નિર્ણય લેવાયો હતો. રિપોર્ટની પ્રક્રિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસનો સમય લાગશે. તે પછી મૃતદેહ પરિવારને સોંપાશે મોડી રાત સુધીમાં ૧૦૦૨ સેમ્પલ લેવાયા હતા.
આ વિમાન દુર્ઘટનાની જાણ બાદ સિવિલ હોસ્પિટલમાં પ્રવાસીઓના પરિવારો આવ્યા હતા. કેટલાક પરિવારો બહારગામથી પણ આવ્યા હતા. તેમના કુટુંબીજન જીવે છે કે મૃત્યુ પામ્યા છે તેની વિગતો લાંબા સમય સુધી આપવામાં નહી આવતા તેમના મનમાં ભારે ઉચાટ રહૃાો હતો. જો કે સિવિલના તંત્ર દ્વારા જે પરિવારજનો આવ્યા હોય તેમને ડીએનએ સેમ્પલ માટે લોહી આપવાનું કહેતા પરિવારનો સભ્ય જીવિત હોવાની આશા ધૂંધળી હોવાનું જણાતા તેઓ ભાંગી પડયા હતા, અનેક સભ્યો અશ્રુભીની આંખે પ્રવાસી જીવીત હોય તે માટે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા.
ડિએનએ ટેસ્ટ માટે તેને ફોરેન્સિક લેબ-ગાંધીનગરમાંથી ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ તેમના પરિવારના ડીએનએ મેચ બાદ દર્દીની ઓળખ કરી પરિવારને મૃતદેહ આપવામાં આવશે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવાયું હતું કે ડીએનએ સેમ્પલ લીધા પછી રિપોર્ટ આવતા ઓછામાં ઓછા ત્રણ દિવસનો સમય લાગશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial