Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના શખ્સને કરાયો હદપાર

આ શખ્સ સામે નોંધાયેલા છે ત્રણ ગુન્હાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: લાલપુરમાં વસવાટ કરતા મૂળ નાના ખડબા ગામના શખ્સને હદપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ દરખાસ્ત લાલપુર પોલીસે રજૂ કર્યા પછી એસડીએમે તેને મંજૂર રાખી છે.

લાલપુર શહેરના સાનિધ્ય પાર્કમાં રહેતા મૂળ નાના ખડબા ગામના નરેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા નામના શખ્સ સામે હદપાર કરવાની દરખાસ્ત લાલપુરના પીઆઈ કે.એલ. ગળચર દ્વારા તૈયાર કરીને મંજૂરી માટે એસડીએમ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

તે દરખાસ્તને મંજૂરી કરાતા ગઈકાલે લાલપુર પોલીસે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૫૭ (ગ) હેઠળ હદપાર કરાયેલા નરેન્દ્રસિંહની અટકાયત કરી તેને હદપાર કર્યાે છે. આ શખસ સામે વર્ષ ૨૦૨૧માં એક તથા વર્ષ ૨૦૨૪માં લાલપુર પોલીસ સ્ટેશનમાં કુલ ત્રણ ગુન્હા નોંધાયેલા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh