Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૧: જામનગરના એક આસામીનું વાહન ફાયનાન્સ કંપનીએ જપ્ત કરી હરાજી કરી નાખી હતી. તે પછી આ આસામી સામે ચેક પરતનો કેસ કરાયો હતો. તે કેસમાં અદાલતે આરોપીનો છૂટકારો કર્યાે છે.
જામનગરની શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ નામની પેઢી પાસેથી જયપાલદાન લહેરીદાન નામના આસામીએ ફ્રોસ કંપનીની તુફાન ખરીદવા માટે લોન મેળવી હતી. તે લોનના હપ્તાના ચેક ન ભરાતા ફાયનાન્સ પેઢીએ રૂ.અઢી લાખના ચેક પરતની અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલવા પર આવતા ફાયનાન્સ પેઢીનું લેણું સમય મર્યાદા બહારનું હોવાની અને પેઢીએ આ વાહન સીઝ કરી હરાજીથી વેચી પણ નાખ્યાની દલીલ કરવામાં આવી હતી. તે દલીલ ગ્રાહ્ય રાખી અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ ક્રિપાલસિંહ આર. જાડેજા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial