Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૧: જામનગર તાલુકાના ધુતારપુર ગામના મનરેગાના શ્રમિક મહિલાઓને પૂરતું વેતન આપવામાં નહીં આવતું હોવાની ફરિયાદ સાથે શ્રમિક મહિલાઓએ પંચાયત કચેરીમાં ગઈકાલે હોબાળો મચાવી કચેરીમાં ઘેરાવ કર્યો હતો.
ધુતારપુર ગામમાં મનરેગામાં કામ કરતી અનેક મહિલાઓ ગઈકાલે જામનગરમાં તાલુકા પંચાયતની કચેરીએ આવી પહોંચી હતી અને પોતાને ઉનાળાના તડકામાં કરવામાં આવતા કામ પછી પણ પૂરતું વળતર આપવામાં આવતું નહીં હોવાની ફરિયાદ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ કરી હતી.
છેલ્લા એક માસથી કામનું વળતર પણ ચૂકવાયું નથી, જ્યારે વળતર પણ ઓછું આપવામાં આવે છે. ટી.ડી.ઓ.ના જણાવ્યા મુજબ આ કામમાં સરકાર સિધા જ શ્રમિકના બેંક ખાતામાં પૈસા જમા કરે છે. વચ્ચે કોઈ એજન્સી કામ કરતી નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial