Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહિલા એડવોકેટે પોલીસમાં નોંધાવી ફરિયાદઃ
જામનગર તા. ૧૧: જામનગરના ખડખડનગર નજીક આનંદ સોસાયટીમાં રહેતા એક મહિલા એડવોકેટે પોતાના જેઠ સામે ઘરમાં ઘૂસી તોડફોડ કર્યાની અને બે-ત્રણ ફડાકા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ મહિલાના પુત્રએ રમતા રમતા કચરો કરતા આ બબાલ થઈ હતી.
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા ખડખડનગર નજીકની આનંદ સોસાયટીમાં રહેતા તનીશાબેન તૌસિફભાઈ બુખારી નામના મહિલા એડવોકેટે પોતાના જેઠ ઈમ્તિયાઝ હુસેનભાઈ સૈયદ ઉર્ફે રાજુબાપુ સામે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ તનીશાબેનના પતિ તૌસિફભાઈ તથા જેઠ ઈમ્તિયાઝ હુસેનભાઈ એક જ મકાનમાં ઉપર-નીચેના ભાગમાં વસવાટ કરે છે. તે દરમિયાન રવિવારે સાંજે તનીશાબેનનો પુત્ર તેમના ઘરમાં રમતો હતો ત્યારે આવી ચઢેલા જેઠ ઈમ્તિયાઝે આ બાળક કચરો કરે છે તેમ કહેતા તનીશાબેને હું સફાઈ કરી નાખીશ તેમ જણાવ્યું હતું તેથી ઉશ્કેરાયેલા જેઠ ઈમ્તિયાઝે ગાળો ભાંડી હતી.
આ વેળાએ તનીશાબેને હાલમાં માતા-પિતા અને મારા ભાઈ આવ્યા છે. ત્યારે ગાળો ન બોલો તેમ કહેતા ઉશ્કેરાયેલા જેઠે તેણીને બે-ત્રણ ફડાકા ઝીંકી દીધા હતા અને ઘરમાં રહેલા કબાટનો કાચ તોડી નાખી નુકસાન કરવા ઉપરાંત ધમકી આપી હતી. તનીશાબેનની ફરિયાદ પરથી પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial