Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી.એન. ખેર દ્વારા જાહેરનામું:
જામનગર તા. ૧૧: જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલ અતિ સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લાની હદમાં મિલિટરી સ્ટેશન, એરફોર્સ સ્ટેશન, જામનગર તથા સમાણા, આઈએનએસ વાલસુરા, એશિયાની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી, થર્મલ પાવર સ્ટેશન સિક્કા, જી.એસ.એફ.સી. તથા અન્ય મોટા ઔદ્યોગિક એકમો જેવા સંવેદનશીલ વાઈટલ ઈન્સ્ટોલેશન્સ આવેલ છે. જામનગર જિલ્લા વિસ્તારમાં આવેલ કુલ ૧પ૪ ક્રિટિકલ-સ્ટ્રેટેજિકલ મહત્ત્વ ધરાવતા ઈન્સ્ટોલેશન્સને રેડ ઝોન કે યલો ઝોનમાં વિભાજીત કરેલ છે, જે પૈકી રેડ ઝોનમાં ૧૧ર તથા યલો ઝોનમાં ૪ર ઈન્સ્ટોલેશન્સ આવેલા છે. આથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી.એન. ખેર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે મુજબ જામનગર મહાનગરપાલિકા સહિતના સમગ્ર જામનગર જિલ્લાના રેડઝોન અને યલો ઝોન જાહેર કરાયેલા વિસ્તારોમાં ડ્રોન ઊડાડવા પર પ્રતિબંધ રહેશે. આગમી તા. ૭-૮-ર૦રપ સુધી આ જાહેરનામું અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સહિતા, ર૦ર૩ ની કલમ-રર૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial