Advertisement
Author: નોબત સમાચાર

માઈક્રો ફુડ પ્રોસેસિંગ ઉદ્યોગોને માર્ગદર્શન આપવા ડિસ્ટ્રીકટ રિસોર્સ પર્સનની નિમણૂક થશે

બાગાયત નિયામક કચેરીમાં તા. ૧૬ સુધીમાં અરજીની તાકીદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: ખાધ સંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય દ્વારા નવા પ્રોસેસિંગ યુનિટની સ્થાપના તેમજ વિસ્તરણ કરવા માટે ખર્ચના ૩૫ ટકા સહાય અપાય છે. જિલ્લામાં આ યોજના અન્વયે દરેક તાલુકામાં વ્યક્તિગત માઇક્રો ફૂડ પ્રોસેસિંગ ઉધોગોના અરજદારને માર્ગદર્શન તેમજ સંલગ્ન કામગીરી માટે ડિસ્ટ્રિક્ટ રિસોર્સ પર્સનની નિમણૂક કરવામાં આવનાર છે. જે માટે ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવતા, નિવૃત સરકારી બેંક અધિકારીઓ, વીમા એજન્ટો, બેંક મિત્રો સહિતના અરજદારો અરજી કરી શકશે. અરજી નાયબ બાગાયત નિયામક કચેરી, જિલ્લા સેવા સદન ૪, રૂમ નં. ૪૮, વિક્ટોરિયા પુલ પાસે, રાજ પાર્ક, જામનગરમાં તા.૧૬ જૂન સુધીમાં મોકલી આપવા નાયબ બાગાયત નિયામકની યાદી જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh