Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગ્રામ્ય વિસ્તારમાં કોઈ કેસ નહીં:
જામનગર તા. ૧૧: જામનગરમાં દરરોજ નવા નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે અને કેસમાં વધ-ઘટ જોવા મળી રહી છે. આગલા દિવસની સરખામણીમાં ગઈકાલે થોડા-ઓછા એટલેકે ચાર કેસ નોંધાયા હતાં, જેમાં ચારેય મહીલાઓ કોરોના સંક્રમિત બન્યા છે. હાલની સ્થિતિએ શહેરમાં બાવન એક્ટિવ કેસ છે.
જામનગર શહેરમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ગઈકાલે શહેર વિસ્તારમાં ચાર પોઝિટિવ્ કેસ નોંધાયા હતાં છે, જેમાં રઘુવીર સોસાયટીમાં રહેતી ૧૭ વર્ષની તરૂણી, ઈન્દ્રદિપ સોસાયટીમાં રહેતા ર૩ વર્ષનો યુવાન, પટેલ કોલોનીમાં રહેતા ૬ર વર્ષના વૃદ્ધા અને શ્રીનિવાસ કોલોનીમાં રહેતા પ૮ વર્ષના મહિલાનો સમાવેશ થાય છે.
આ ચારેયને હોમ આઈસોલેશન કરી દેવામાં આવ્યા છે, અને આરોગ્ય વિભાગ દ્વારા આનુસંગિક કામગીરી કરવામાં આવી રહી છે, જો કે હોસ્પિટલમાં કોઈ દર્દી દાખલ નથી, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં કોઈ કેસ નોંધાયો ન હતો.
આમ હાલની સ્થિતિએ શહેરી વિસ્તારમાં બાવન અને ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ એક્ટિવ કેસ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial