Advertisement
Author: નોબત સમાચાર

અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રાઃ ૧૦૮ કળશ દ્વારા નદીનું જળ લાવી જળાભિષેક

સાધુ-સંતો અને યજમાનો સાથે નીતિનભાઈ પટેલ પણ જોડાયાઃ

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૧૧: અમદાવાદમાં ભગવાન જગન્નાથનો ૧૦૮ કળશમાં લાવેલા જળથી જળાભિષેક સાધુ-સંતો, નીતિન પટેલ અને યજમાને કર્યો હતો.

ભગવાન જગન્નાથની અષાઢી બીજના નીકળનારી ૧૪૮ મી રથયાત્રા પહેલા આજરોજ જળયાત્રા યોજાઈ હતી. જેઠ સુદ પૂનમના દિવસે ભગવાન જગન્નાથની જમાલપુર જગન્નાથ મંદિરથી વાજતે ગાજતે હાથી, બેન્ડવાજા, ધજા-પતાકા સાથે ભવ્ય જળયાત્રા નીકળી નદીમાંથી જળ લઈ પરત ફરી હતીં મંદિરે ભગવન પરત ફર્યા પછી સાધુ-સંતો, યજમાન, પૂર્વ નાયબ મુખ્યમંત્રી સહિત અનેક ભક્તો દ્વારા ભગવાનને જળાભિષેક કરાયો હતો.

જ્યાંથી દર વર્ષે જળાભિષેક માટે પાણી લાવવામાં આવે છે, ત્યાં આ વર્ષે જળકુંભી નીકળી હોવાથી પ્રથમવાર એસી ક્રૂઝની મદદથી નદીની મધ્યમાં જઈ પાણી લાવવામાં આવ્યું હતું. મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટીઓ અને રાજકીય નેતાઓ ક્રૂઝ પર સવાર થઈ સાબરમતી નદીના મધ્યમાંથી ભગવાનના જળાભિષેક માટે જળ લીધું હતું. પાણી લઈ ક્રૂઝ પરત ફર્યા પછી સાબરમતી નદીની આરતી ઉતારવામાં આવી હતી.

બુધવારે (૧૧ જૂન) જળયાત્રા પછી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી, બળદેવજી સરસપુરમાં રણછોડદાસજી મંદિરના મોસાળમાં રોકાણ માટે જશે. સરસપુરમાં રણછોડરાયજી મંદિરમાં પણ ભગવાનની આગતા-સ્વાગતા માટે તમામ તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે, અને સ્થાનિકોમાં ભગવાનને આવકારવા થનગનાટ છે.

આજે સવારે ૮-૩૦ વાગ્યે ગંગાપૂજન વિધિ કરવામાં આવી હતી. પૂજન પછી નદીએથી ૧૦૮ કળશમાં જળ ભરીને મંદિરમાં લાવી ભગવાન જગન્નાથની પૂજન વિધિ કરીને મહાજળાભિષેક કરવામાં આવશે. ત્યારપછી ગણેશજીના સ્વરૂપમાં ભગવાન જગન્નાથજીના અતિવિશિષ્ટ ગજવેશ શણગાર પણ કરવામાં આવ્યો હતો. બપોરે મંદિર પરિસરમાં મહાપ્રસદનું આયોજન કરાયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh