Advertisement
Author: નોબત સમાચાર

સાયબર ફ્રોડથી ઉપડેલી રકમ ફરિયાદીના ખાતામાં જમા આપવા અદાલત દ્વારા આદેશ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગરના એક આસામીના બેંક ખાતામાંથી સાયબર ફ્રોડના માધ્યમથી રૂ.૪૭ હજાર ઉપડ્યા હતા. તેની ફરિયાદ થતાં સાયબર ક્રાઈમ પોલીસે આ રકમ ફ્રીઝ કરાવી હતી. તે રકમ આસામીના ખાતામાં જમા આપવા અદાલતે હુકમ કર્યાે છે.

જામનગરના ૫ટેલકોલોનીમાં વસવાટ કરતા ચિંતન ઘનશ્યામભાઈ વજાણીના એસબીઆઈના  ખાતામાંથી રૂ.૪૭ હજાર ઉપડી જતાં તેઓએ સાયબર ફ્રોડનો ભોગ બન્યાની સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી.

તે ફરિયાદની તપાસ અન્વયે બેંકમાંથી ઉપડેલી રકમ ફ્રીઝ કરી દેવામાં આવી હતી. તે રકમ પોતાના ખાતામાં પરત જમા મેળવવા ચિંતન વજાણીએ અદાલતમાં અરજી કરી હતી. અદાલતે તે રકમ ફરિયાદીના ખાતામાં જમા આપવા સાયબર ક્રાઈમ પોલીસને હુકમ કર્યાે છે. અરજદાર તરફથી વકીલ ઉમર લાકડાવાલા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh