Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા નજીક મકનપુર પાસે બાઈક પરથી પડી જતાં સુરજકરાડીના મહિલાનું મૃત્યુ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: ઓખામંડળના મીઠાપુર પાસે સુરજકરાડીમાં રહેતા એક મહિલા રવિવારે સાંજે મકનપુર ગામ પાસે બાઈક પરથી પડી જતાં ઈજા પામ્યા હતા. આ મહિલાનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર નજીકના સુરજકરાડીમાં રહેતા મીનાબેન ધર્મેશભાઈ બારીયા (ઉ.વ.ર૯) નામના મહિલા રવિવારે સાંજે આઠેક વાગ્યે મીઠાપુરથી જમવા માટે દ્વારકા આવવા મોટરસાયકલ પર નીકળ્યા હતા. તેઓ જ્યારે મકનપુર ગામ પાસે પહોંચ્યા ત્યારે કોઈ રીતે મીનાબેન બાઈક પરથી પડી ગયા હતા. માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા આ મહિલાને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓનું મૃત્યુ નિપજ્યું છે.  જામનગરની શંકરટેકરીમાં વલ્લભનગર પાસે રહેતા ભાનુબેન મનજીભાઈ કબીરાએ પોલીસને જાણ કરી છે. દ્વારકા પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh