Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આકરા તાપ-બફારાથી પ્રજાજનો પરસેવે રેબઝેબઃ
જામનગર તા. ૧૧: જામનગરના લઘુતમ તાપમાનમાં છેલ્લા બે દિવસમાં મોટી ઉથલપાથલ થવા પામી છે. ૮.પ ડીગ્રીના કડાકા પછી છેલ્લા ચોવીસ કલાકમાં ૭.૬ ડીગ્રી સુધી ઊંચકાયને ર૭.૬ ડીગ્રીએ પહોંચી ગયું હતું. નહીંવત્ વધીને મહત્તમ તાપમાન ૩પ.પ ડીગ્રી નોંધાયું હતું.
જામનગરમાં છેલ્લા બે દિવસથી લઘુતમ તાપમાનમાં મોટી ઉથલપાથલ થઈ રહી છે. છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો ૭.૬ ડિગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ૨૭.૬ ડિગ્રી નોંધાયું હતું તથા નહીંવત્ વધીને મહત્તમ તાપમાન ૩પ.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૭ર ટકા રહ્યું હતું. મહત્તમ તાપમાન તથા ભેજનું પ્રમાણ વધુ રહેતા ખાસ કરીને બપોરે આકરા તાપ અને બફારાથી પ્રજાજનો પરશેવે રેબઝેબ થને ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતાં. રાહત મળે તે માટે લોકોએ એસી તથા એરકુલરનો સહારો લીધો હતો. જામનગરમાં છેલ્લા ઘણાં દિવસથી તેજીલા વાયરાઓનો દોર ચાલી રહ્યો છે, જે ગઈકાલે પણ યથાવત્ રહ્યો હતો. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૪૦ થી ૪પ કિ.મી.ની રહેવા પામી હતી. તેજીલા વાયરાઓના પગલે પ્રજાજનોએ સાંજથી રાહતો અનુભવ કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial