Advertisement
Author: નોબત સમાચાર

મોરારિબાપુના ધર્મપત્ની નર્મદાબેનનું નિધનઃ તલગાજરડામાં અપાઈ સમાધિ

સાર્વત્રિક શોક છવાયોઃ ગામ સ્વૈચ્છિક બંધ

                                                                                                                                                                                                      

તલગાજરડા તા. ૧૧: ગુજરાતના જાણીતા કથાકાર મોરારિબાપુના ધર્મપત્ની નર્મદાબેનનું ૭પ વર્ષની વયે નિધન થયું છે. તેમણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડાના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતાં. સદ્ગતના પાર્થિવ દેહને તલગાજરડાના નિવાસસ્થાને સમાધિ આપવામાં આવી છે.

ગુજરાતના જાણીતા કથાકાર મોરારિબાપુના ધર્મપત્ની નર્મદાબેન મોરારિદાસ હરિયાણીનું મંગળવારે મોડી રાત્રે તલગાજરડામાં પોતાના નિવાસસ્થાને નિધન થયું હતું. ૭પ વર્ષિય નર્મદાબેનના નિધન મહુવા પંથક સહિત સાર્વત્રિક શોકનો માહોલ છવાયો છે. સદ્ગતના પાર્થિવ દેહને તલગાજરડાના નિવાસસ્થાને આજે ૯ વાગે સમાધિ આપવામાં આવી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદાબેને મંગળવારે રાત્રે ૧-૩૦ વાગે મહુવા તાલુકાના તલગાજરડામાં પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતાં.

નર્મદાબેનની તબિયત છેલ્લા કેટલાક સમયથી ખરાબ હોવાથી તેમને છેલ્લા બે દિવસથી અન્નનો ત્યાગ કર્યો હતો. નર્મદાબેનના નિધનના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયેલો છે. નર્મદાબેનના નિધનથી તલગાજરડા ગામ સ્વેચ્છાએ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું છે. નર્મદાબેન સાથે મોરારિબાપુના લગ્ન વણોટ ગામે થયા હતાં. અંતિમ વિદાય અને સમાધિ સમયે સાર્વત્રિક શોકની લાગણી ફેલાવા પામી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh