Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૦: ખંભાળીયામાં રામનાથ રોડ પર એસ.એન.ડી.ટી. પાસે સોસાયટી નજીકના મેઈન રોડ પર વરસાદમાં ત્રણ-ચાર ફૂટ પાણી ભરાઈ જતુ હોય તથા ચાલુ વરસાદે ત્યાંથી નીકળવા જતા ટુ-વ્હીલ ચાલકો પડતા હોય તથા વરસાદ રહી ગયા પછી પણ લાંબો સમય ત્યાંથી ચાલીને ના નીકળાય તેવું હોય, તાજેતરમાં માત્ર ૩ ઈંચ વરસાદમાં એક મહિલાને અકસ્માત થયો હતો તથા એકટિવા સાથે પડી ગયા હતા તથા મોં માં પાણી ચાલ્યુ ગયુ હતુ. આ બનાવના પગલે સ્થાનિક અગ્રણી રીછાભાઈ ગોરાણીયા દ્વારા પાલિકા સત્તાધીશો, સદસ્યોને રજુઆતો તથા અખબારી અહેવાલોના પગલે તંત્ર દ્વારા આ રસ્તા પર આવેલી ફૂટપાથમાં એક ફૂટ મોટો હોલ કરીને ત્રણ જગ્યાએથી પાણીનો નીકાલ રસ્તા પરથી થાય તે માટે કામગીરી કરી હતી.
અગાઉ માત્ર એક જગ્યાએ મોટો હોલ તથા બે-ત્રણ નાના પાઈપો જ હોય, અહીં સમગ્ર સોસાયટીઓ તથા નદીઓ, વોકળાનું પાણી આવતા અહીં મોટા પ્રમાણમાં પાણી ભરાતું હોય, દર ચોમાસે આ પ્રશ્ન થતો હોય હાલના પાણીના નિકાલ ઉપરાંત ફૂટથી વધુ જગ્યાના નવા ત્રણ પાણી નિકાલના રસ્તા થતા આ રસ્તા પરનો પાણી ભરાવાનો પ્રશ્ન હલ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial