Advertisement
Author: નોબત સમાચાર

બે બોટ બંગાળની ખાડીમાં ડૂબી જતા ૫૦૦થી વધુના મોતની આશંકા

રોહિંગ્યા શરણાર્થીઓને લઈ જતી

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૬: બંગાળની ખાડીમાં રોહિંગ્યા સમુદાયના લોકોને લઈ જતી ૨ બોટ ડૂબતા ૫૦૦થી વધુ લોકોના કરુણ મોત થયાની આશંકા છે. મ્યાનમારથી પલાયન કરી રહેલા આ શરણાર્થીઓ જૂનના અંતમાં રખાઇનથી નીકળ્યા હતા. ૨૫૦ લોકોવાળી એક બોટનો સંપર્ક તૂટ્યો, જ્યારે ૨૮૦ લોકોને લઈ જતી બીજી બોટ ૮ જુલાઈએ ડૂબી. કુલ ૫૩૦ લોકો લાપતા છે. સંયુક્ત રાષ્ટ્રએ ચિંતા વ્યક્ત કરી છે.

બંગાળની ખાડીમાંથી એક અત્યંત હ્ય્દયદ્રાવક અને મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. મ્યાનમારના અત્યાચારથી બચવા માટે પલાયન કરી રહેલા લઘુમતી રોહિંગ્યા સમુદાયના લોકોને લઈ જતી ૨ મોટી બોટ સમુદ્રમાં ડૂબી ગઈ છે. આ ભયાનક દરિયાઈ અકસ્માતમાં ૫૦૦ થી વધુ લોકોના કરુણ મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાઓએ આ મામલે સત્તાવાર નિવેદન જાહેર કરીને ચિંતા વ્યક્ત કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh