Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાદળોના આંટાફેરા અને તેજીલા વાયરાઓના પગલે
જામનગર તા. ર૭: જામનગરમાં તેજીલા વાયરા તથા વાદળોના આંટાફેરાના પગલે મહત્તમ તાપમાનનો પારો પોણો ડીગ્રીથી વધુ નીચે ગગડીને ૩પ.પ ડીગ્રીએ પહોંચી જતા અકરા તાપમાં ઘટાડો થયો હતો. ભેજનું પ્રમાણ ૭૬ ટકા રહેતા બફારો યથાવત્ રહ્યો હતો.
જામનગરના વાતાવરણમાં પલટો આવ્યો છે. નભમાં વરસાદી વાદળોના આંટાફેરા સતત જોવા મળી રહ્યા છે, તેમજ પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ ૪૦ થી ૪પ કિ.મી.ની રહેવા પામી હતી. ઝપાટાબંધ રીતે ફૂંકાતા વેગીલા વાયરાઓના પગલે ધૂળના કણ ઊડતા રાહદારીઓ અને ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, તેમજ ગૃહિણીઓને પણ ઘરની વધારે સફાઈ કરવાની જરૂર પડી હતી.
નગરમાં વાદળોની થતી સતત અવર-જવર અને વેગીલા વાયરાઓના પગલે મહત્તમ તાપમાનનો પારો એક જ દિવસમાં પોણો ડીગ્રીથી વધુ ગગડીને ૩પ.પ ડીગ્રીએ પહોંચી ગયો હતો, જ્યારે આંશિક વધીને લઘુતમ તાપમાન ર૯.૪ ડીગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે ગરમીમાં પણ ઘટાડો થયો હતો. જામનગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ આંશિક વધીને ૭૬ ટકા રહ્યું હતું. ભેજના વધુ પ્રમાણના પગલે ખાસ કરીને બપોરે ઉકળાટથી આકૂળ-વ્યાકૂળ થઈને લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતાં. સાંજે ગતિમાન પવનના પગલે ઠંડક પ્રસરતા પ્રજાજનોએ રાહત અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial