Advertisement
Author: નોબત સમાચાર

સોશિયલ મીડિયા પર રાષ્ટ્રીય સુરક્ષાને જોખમાવતી પોસ્ટ કરનારના જામીન મંજૂર

 જામનગરના કારખાનેદાર સામે નોંધાયો હતો ગુન્હોઃ

                                                                                                                                                                                                  

જામનગર તા. ર૭: જામનગરના કારખાનેદારે ઓપરેશન સિંદૂર દરમિયાન સોશિયલ મીડિયા પર રાષ્ટ્રીય સુરક્ષાને જોખમાવતી પોસ્ટ કરી હોવાનો આક્ષેપ મૂકી પોલીસે તેની ધરપકડ કરી હતી. આ આરોપીને જામીન મુકત કરવામાં આવ્યો છે.

જામનગરના કારખાનેદાર મનિષ વલ્લભભાઈ ડાંગરીયા નામના આસામીએ તાજેતરમાં ભારત તથા પાક. વચ્ચે સર્જાયેલી તણાવભરી પરિસ્થિતિ દરમિયાન પોતાના ફેસબુક એકાઉન્ટ પર કેટલીક પોસ્ટ મૂકી હતી.

જેમાં એક પોસ્ટમાં વાત આખા પાકિસ્તાનનો સફાયો કરવાની છે વગેરે લખાણ લખ્યું હતું અને કેટલાક વ્યક્તિઓએ તેના પર કોમેન્ટ કરી હતી. આ બાબતની જાણકારી પોલીસને મળતા મનિષ વલ્લભભાઈ સામે બીએનએસની કલમ ૧૯૭ (૧) (ડી) હેઠળ ગુન્હો નોંધાયો હતો.

આ આરોપીને જેલહવાલે કરાતા તેણે જામીનમુક્ત થવા અરજી કરી હતી. અદાલતે આરોપીના વકીલ દિનેશભાઈ વિરાણી, જયદીપ મોલીયા, સિદ્ધાર્થ સાપરીયા, ડી.એ. ગોસ્વામીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને રૂ.રપ હજારના જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યાે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh