Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફરિયાદીને ફરિયાદ માટે કોઈ અધિકાર ન હોવાની દલીલઃ
જામનગર તા. ર૭: જામનગરના એક આસામીએ ફાયનાન્સ પેઢી પાસેથી રૂ.ર લાખ રોકડા મેળવી આપેલો ચેક પરત ફર્યાની અદાલતમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી નો છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરમાં પ્રિયાંસી એન્ટરપ્રાઈઝ નામની નાણા ધીરધારનું લાયસન્સ ધરાવતી પેઢી પાસેથી પ્રકાશ દોલતરાય ગ્યાનચંદાણીએ વર્ષ ૨૦૨૧ માં રૂ.૨ લાખ માસિક ૧ ટકાના વ્યાજે લીધા હતા. તે રકમની પરત ચૂકવણી માટે પ્રકાશ ગ્યાનચંદાણીએ રૂ.ર લાખનો ચેક આપ્યો હતો.
તે ચેક બેંકમાંથી પરત ફરતા નોટીસ અપાઈ હતી. તેમ છતાં બાકી રકમ ન ચૂકવાતા તેની સામે અદાલત સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં આરોપી પક્ષે દલીલ કરી હતી કે, ફરિયાદી રવિરાજસિંહ ભરતસિંહ જાડેજા નામના આસામી પ્રિયાંસી એન્ટરપ્રાઈઝના માલિક નથી. તેઓને ફરિયાદ કરવાનો કોઈ અધિકાર નથી. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial