Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિલંબ માફ માટે નક્કર કારણ નથીઃ
જામનગર તા. ર૭: કાલાવડની ખેતીની એક જમીન અંગે કરાવવામાં આવેલી બે નોંધ રદ્દ કરાવવા અપીલ કરાઈ હતી. તે રદ્દ થતાં રીવીઝન થઈ હતી તેને પણ કલેક્ટરે રદ્દ કરી છે.
કાલાવડના કાનાભાઈ ભગાભાઈ નામના આસામીએ રે.સ.નં.૯૭૦માં આવેલી ખેતીની જમીન અંગે કૌટંુબિક વ્હેચણીની નોંધ તથા બિન અવેજી રિલીઝ ડીડની નોંધ સામે જગાભાઈ ભગાભાઈ, લખમણ ભગાભાઈ સામે જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારી સમક્ષ અપીલ કરી હતી. તે ડીલે અપીલ રદ્દ થતાં કાનાભાઈએ કલેક્ટર કોર્ટમાં રીવીઝન કરી હતી.
તે રીવીઝન અન્વયે સામા પક્ષે દલીલ કરી હતી કે, વિલંબ માફ માટે નક્કર કારણ રજૂ કરાયા નથી. તે દલીલ ગ્રાહ્ય રાખી કાનાભાઈની રીવીઝન રદ્દ કરાઈ છે. સામાવાળા તરફથી વકીલ યુસુફ બ્લોચ, મુસીર બ્લોચ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial