Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના સાંસદ, મેયર, ધારાસભ્યો સહિતના નેતાઓ હાજર
જામનગર તા. ર૭: જામનગર મહાનગરપાલિકાના રૂ. ૯૪ કરોડના બે પ્રોજેક્ટનું આજે વડાપ્રધાન દ્વારશા વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જામનગરના ભાજપના તમામ હોદ્દેદારો, પ્રતિનિધિઓ, સંગઠનના આગેવાનો, અધિકારીઓ વગેરે ગાંધીનગર પહોંચ્યા હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે સવારે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આયોજીત કાર્યક્રમમાં તેમના હસ્તે કરોડો રૂપિયાના પ્રોજેક્ટના લોકાર્પણ થયા હતાં.
જેમાં જામનગરમાં પણ પાણીની પાઈપલાઈન સહિતનો રૂ. ર૯ કરોડનો પ્રોજેક્ટ તથા અંદાજે ૬પ કરોડના ખર્ચે નિર્માણ કરાયેલ પ૪૪ આવાસનું પણ લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવ્યું હતું, જો કે તેમના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
જામનગરના મુયર વિનોદ ખીમસૂર્યા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રિવાબા જાડેજા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક પક્ષના નેતા આશિષ જોષી અને દંડક કેતન નાખવા, અનેક કોર્પોરેટરો, અધિકારીઓ વગેરે પણ ગાંધીનગર પહોંચ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial