Advertisement
Author: નોબત સમાચાર

આણદાબાવા સેવા સંસ્થા દ્વારા મોતિયાના ઓપરેશન માટે કેમ્પ યોજાશે

આગામી તા. ૧ લી જૂનના દિવસે

                                                                                                                                                                                                  

જામનગર તા. ર૭: આણદાબાવા સેવા સંસ્થા જામનગરમાં મહંત શ્રી પૂ. દેવપ્રસાદજી મહારાજના માર્ગદર્શન હેઠળ આગામી તા. ૧-૬-ર૦રપ અને રવિવારના સવારે ૧૦ થી ૧ દરમિયાન આણદાબાવા આંખની હોસ્પિટલમાં વિનામૂલ્યે મોતિયાના ઓપરેશનની સુવિધા સાથેના આંખના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં મોતિયાના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને આણદાબાવા હોસ્પિટલમાં અનુકૂળ તારીખે ઓપરેશન કરી વિનામૂલ્યે નેત્રમણી બેસાડી આપવામાં આવશે. આ ઉપરાંત દર્દીઓને જરૂરી સારવાર, દવા, ટીપાં  આપવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા માટે જામનગર તથા શહેરની આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને સંસ્થા તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh