Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકોએ સાવચેતી રાખવી જરૂરી
જામનગર તા. ૨૭: જામનગરમાં ફરી એક વખત કોરોનાનો પગપેસારો થયો છે. ગઈકાલે એક જ દિવસમાં નવા સાત પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગની દોડધામ વધી જવા પામી હતી. હાલમાં જામનગરમાં કુલ ૧૦ એકટીવ કેસ છે.
ફરી એક વખત કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે, અને દિવસે દિવસે તેમાં વધારો થતા લોકોએ સાવચેતી રાખવી જરૂરી બની છે.
શહેરના કામદાર કોલોનીમાં રહેતા એક જ પરિવારના ચાર લોકોના રિપોર્ટ કોરોના પોઝીટીવ મળ્યા હતાં. જેમાં ૩ મહિલા અને એક પુરૂષનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પાર્ક કોલોનીમાં રહેતા એક પુરૂષનો રિપોર્ટ પણ પોઝીટીવ મળ્યો છે, જયારે ઘાંચીની ખડકી વિસ્તારમાં રહેતા એક મહિલા અને નગર સીમમાં રહેતા એક મહિલાનો રિપોર્ટ પોઝીટીવ મળ્યો છે. આમ એક જ દિવસમાં સાત નવા કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ટીમોની દોડધામ વધી જવા પામી છે.
ચારેક દિવસ પહેલા પણ પંચવટી વિસ્તારના એક પુરૂષનો રિપોર્ટ પોઝીટીવ મળ્યો હતો. જયારે ગત શનિવાર- રવિવાર દરમ્યાન પણ બે કેસ નોંધાતા હાલ કુલ ૧૦ એકટીવ કેસ છે. જો કે, તમામને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
એટલે કે કોઈ પણ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નથી અને તમામ દર્દીની તબીયત સારી છે. તેમ આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial