Advertisement
Author: નોબત સમાચાર

ભાડાવાળી જગ્યા અંગે કરવામાં આવેલો દાવો રદ્દ કરવાનો અદાલતનો આદેશ

ભાડૂતના પુત્રએ નોંધાવ્યો હતો દાવોઃ

                                                                                                                                                                                                  

જામનગર તા. ર૭: જામનગરના પટેલકોલોની વિસ્તારમાં આવેલી એક જગ્યા બળજબરીથી ખાલી કરાવવામાં ન આવે તે માટે મૂળ ભાડૂતના પુત્રએ અદાલત માં દાવો કર્યાે હતો. તે દાવો અદાલતે રદ્દ કરવાનો આદેશ કર્યાે છે.

જામનગરના પટેલ કોલોની વિસ્તારની શેરી નં.૧૦-૧૧ની વચ્ચે આવેલી બાંધકામ સાથેની જગ્યા ગઈ તા.૧-૯-૮૪ના દિને નારણ ભાઈ ભાણજીભાઈ ઢોલરીયા એ ભાડે રાખી હતી. તેમાં તેઓએ ભારત કાસ્ટ નામની પેઢી શરૂ કરી હતી.

તે પછી નારણભાઈનું અવસાન થતાં તેમના પુત્ર નીતિનભાઈએ ભાડુતી કબજાની આ જગ્યા બળ જબરીથી ખાલી કરાવવામાં ન આવે તે માટે દાવો કરી મનાઈહુકમ માંગ્યો હતો. તે દાવા અન્વયે મનસુખભાઈ મૂળુભાઇને નોટીસ મળતા તેઓએ અદાલતમાં હાજર થઈ જવાબ રજૂ કર્યાે હતો. તેઓએ આ જગ્યાનું ભાડુ નીતિનભાઈએ ચૂકવ્યું નથી અને જગ્યાનો ઉપયોગ પણ કરતા નથી. તેવી દલીલ કરી હતી તેને ગ્રાહ્ય રાખી અદાલતે સિવિલ એન્જિનિયર નીતિન ઢોલરીયાનો દાવો નામંજૂર રાખ્યો છે. પ્રતિવાદી તરફથી વકીલ નાથાલાલ ઘાડીયા, પરેશ સભાયા, હીરેન સોનગરા, રાકેશ સભાયા, ગજેન્દ્રસિંહ ઝાલા, નૈમિષ ઉમરેટીયા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh