Advertisement
Author: નોબત સમાચાર

વસીયતનામાના ચર્ચાસ્પદ કેસમાં અમલવારી કામચલાઉ મોકૂફઃ આવતા મહિને સુનાવણી

પિતાના વસીયતનામા અંગે અદાલતમાં થયો છે દાવોઃ

                                                                                                                                                                                                  

જામનગર તા. ૨૭: જામનગરના પૂર્વ નગરસેવકના નિધન પછી તેમના નાના પુત્રએ પિતાનું વસીયતનામુ હોવાનું મોટાભાઈને જણાવ્યા પછી અદાલતમાં પહોંચેલા મામલામાં અદાલતે વીલની અમલવારી કામચલાઉ રીતે મોકૂફ રાખવાની બાહેંધરી પછી વધુ સુનાવણી આવતા મહિના પર મુકર્રર કરી છે.

જામનગરના ૫ૂર્વ નગર સેવક અને ખવાસ જ્ઞાતિના પૂર્વ પ્રમુખ રતીલાલ મૂળુભાઈ બારડના નિધન પછી તેમના નાના પુત્ર મયુરે પિતાની તમામ સ્થાવર-જંગમ મિલ્કત અંગે પોતાના નામનું વીલ હોવાની વાત કરતા મોટા પુત્ર કમલ બારડે અદાલતનો આશરો લીધો હતો. અદાલતે એક દિવસમાં પ્રતિવાદી મયુર બારડને હાજર રહેવા નોટીસ આપી હતી.

તે પછી હાજર થયેલા પ્રતિવાદી મયુરે જે વકીલ રોકવાના છે તે બહારગામ હોવાથી સુનાવણી મુલતવી રાખવા અરજી કરી હતી. તેની સામે વાદીના વકીલે વિવાદિત વીલની અમલવારી કરવામાં આવે તો દાવો નિરર્થક થઈ જાય તેમ છે તેવી દલીલ કરતા અદાલતે વાદીને માગણી મુજબ મનાઈ હુકમ કેમ ન આપવો? તેવી નોટીસ કરતા અને તરત જ વકીલ રોકી લેવા ટકોર કરતા પ્રતિવાદીએ દાવા તથા મનાઈ હુકમનો જવાબ રજૂ ન થાય ત્યાં સુધી વીલની અમલવારી ન કરવા લેખિત બાહેંધરી આપી છે. અદાલતે કેસની ફેર સુનાવણી આગામી મહિનાની તા.૬ પર રાખી છે. પ્રતિવાદી કમલ બારડ તરફે વકીલ મહેશ તખ્તાણી, જીતેશ મહેતા રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh